હું તો વિચારતો જ રહ્યો, જો પૈસા આપીને મારે મારી નવલકથા છપાવવાની હોય અને મારે જ વેચવાની હોય તો આવા પ્રકાશક ની મારે શું જરૂર? હું કોઈપણ પ્રિન્ટર પાસે જઈને તે છપાવી શકું છું. મારા મનોમંથનમા બીજો પણ વિચાર આવ્યોકે હું મારી બે નવલકથા કોઈ વેપારી (પ્રકાશક)ને પૈસા આપીને વેચવા આપું અને કદાચ તે ન વેચાય તો મને તો નુકશાન જ થાય.
મિત્રો, મારી આ સમસ્યા મેં મારા પિતાજી શ્રી મોતીલાલ પરમાર ને જણાવી અને તેમણે મને કહ્યું હું તારી સાથે છું, જેટલા પૈસા તું પેલા વેપારી (પ્રકાશક)ને આપે તેટલામાં તો મારી એક વેબસાઈટ તૈયાર થઈ જાય અને તેમાં હું તારી આવનારી / લખાનારી દરેક નવલકથા મૂકી શકીશ. જો વેબસાઈટમાં નવલકથાને સારો પ્રતિભાવ મળે તો આજ વેપારી (પ્રકાશક) તારી પાસે તે ખરીદવા આવશે અને તારી પાસેથી પૈસા લીધા વગર તારી નવલકથાને છાપસે અને રોયલ્ટી પણઆપસે.
બસ, મારા પિતા એ નિર્ણય લઈ લીધો કે હવે તે તેમની વેબસાઈટ બનાવીને મારી બધી જ નવલકથાઓ તેમાં મૂકશે અને વાચકવર્ગ તે ફ્રી માં વાંચી શકશે અને મને અને મારી નવલકથાને નામના મળશે. હા અત્યારના તબક્કે મારા પિતાને ખર્ચો જરૂર થાય છે અને તે પૈસા પરત મળે એવી કોઈ શક્યતા પણ દેખાતી નહોતી છતાં તેમના માટે તો મને અને મારી નવલકથાને નામના મળેતે વધારે મહત્વનુ હતું.
હવે મહત્વની વાત આવી તે નામ. વેબસાઇટનું નામ શું રાખવું? મૂળ તો અમે ભરુચ, જંબુસરના રહેવાસી અને મારે જંબુસરને પણ મારી સાથે નામના અપાવવી હતી તેથી મેં લેખક તરીકે નામ રાખ્યું જાંબુ. આની સાથે મારા પિતાને એ પણ વિચાર આવ્યો કે મારા જેવા બીજાકેટલાય લેખક/સાહિત્યકાર હશે કે જેમને મારી જેમ જ તકલીફ પડી હશે અને તે બધા લેખનકાર્ય થી કિનારો કરીને બેઠા હોય કે લેખન કર્યું હોય પણ તે પ્રકાશિત ન કરી શકતા હોય, આવા લોકોને એક પ્લૅટફૉર્મ પૂરું પાડવું જોઈએ. મારા પિતા ઇચ્છતા હતા કે જે મુશ્કેલીઓનો સામનો મારે કરવો પડ્યો છે તેવી મુશ્કેલીઓ બીજા લેખકો એ ન ઉઠાવવી પડે તેથી જ તેમણે કહ્યું કે આ વેબસાઇટ આપણે દરેક લેખક/ સાહિત્યકાર માટે ખુલ્લી મૂકીશું અને સૌ કોઈને આનો લાભ મળવો જોઈએ.
જ્યાંવૈવિધ્યસભર વાર્તાઓ નો ખજાનો હોય અને અનેકવિધ લેખકોનું તેમાં યોગદાન હોય તેજ ગ્યાને શું કહીશું? જવાબ મળ્યો લાયબ્રેરી/પુસ્તકાલય. અને આમ સર્જાયું મારી વેબસાઇટનું નામ www.jaambulibrary.com.
હાં, મિત્રો, મારા પિતાની www.jaambulibrary.com. લેખનકળા સાથે સંકળાયેલા બધા માટે ખુલ્લી છે. સૌ કોઈ તેમાં પોતાની રચનામૂકી શકે છે અને એક વિશાળ વાચકવર્ગ મેળવીને સમાજમાં નામના મેળવી શકે છે. હું આશા રાખું છું કે લેખન અને વાંચન સાથે સંકળાયેલા સૌ મારા પિતાના આ પ્રયત્નનો ભરપૂર લાભ ઉઠાવે અને તેમના અથાક પ્રયત્નોને અદ્વિતીય સફળતા મળે અને સાથે સાથે મારૂ અને આપ સૌનું વિશ્વમાં નામ થાય.